ગુરુવાર, 22 ડિસેમ્બર, 2011

સોનિયા ગાંધી વિશે તમે શું જાણો છો? પ્રકરણ ૨


સોનિયા ગાંધી ભારતના વડાપ્રધાન થવા યોગ્ય છે કે નહિ એ પ્રશ્નનો બિનસાંપ્રદાયિકતા  અથવા હિંદુ રાષ્ટ્રવાદ કે ભારતની વિવિધ સંસ્કૃતિથી કંઈ લેવ દેવા નથી. ખરી વાત તો એ છે કે દેશના સૌથી મહત્વના પદ પર સ્થાપિત કરવા જતા કઈ રીતે તેમના પર વિશ્વાસ મૂકી શકાય? ૧૯૮૪મા એક રેલીમાં તેમણે કહ્યું હતું કે 'મારા છેલ્લા શ્વાસ સુધી હું ભારતીય છું'. ઘણોજ ઉંચો વિચાર છે, પણ વાસ્તવિક રીતે તે ઘણો જ ખોખલો સાબિત થાય છે. જોકે તેઓ દેશના એક વિશેષ પરિવારના સદસ્ય છે અને વડાપ્રધાન બનવા માટે ઘણાજ  આતુર છે. હા - ત્યારે તેઓ સામાજિક વ્યક્તિત્વ બની જાય છે અને તેમના વિષે જાણવાનો હક દરેકને છે. ૧૪ મે ૨૦૦૪ સુધી તેઓ વડાંપ્રધાન બનવા તનતોડ મહેનત કરતા રહ્યાં, ત્યાં સુધી કે પૂર્ણ સમર્થન ના હોવા છતાં દાવો રજુ કરવા નીકળી પડ્યા હતા. પરંતુ ૧૪ મે ૨૦૪૪ ના દિવસે રાષ્ટ્રપતિ કલામ સાહેબ દ્વારા કેટલાક અસુવિધાજનક પ્રશ્નો પૂછવામાં આવ્યા બાદ અચાનક ૧૭ મે આવતા આવતા તેમનામાં વૈરાગ્ય ભાવના જાગૃત થઇ ગઈ અને તેઓ ત્યાગ અને બલીદાનની પ્રતિમૂર્તિ બની ગયા. કલામ સાહેબ બીજી વાર રાષ્ટ્રપતિ ન બની શક્યા તેનું આ પણ એક મોટું કારણ છે. આજ પ્રમાણે સોનિયા ગાંધીએ પ્રણવ મુખરજીને રાષ્ટ્રપતિ એટલા માટે ન બનવા દીધા કારણકે ઇન્દિરા ગાંધીના મૃત્યુ પછી રાજીવ ગાંધી વડાપ્રધાન ન થાય એવો તેમણે વિરોધ કર્યો હતો.

અત્યારે એક બાજુ કઠપૂતળી વડાપ્રધાન અને  બીજી બાજુ જીહજૂરી કરનાર રાષ્ટ્રપતિ હોય તો સોનિયા ગાંધીને વડાપ્રધાન બનતા કોણ રોકી શકે છે? સોનિયા ગાંધી ઉર્ફે માયનો છેલ્લા શ્વાસ સુધી ભારતીય હોવાનો દાવો કરે છે પણ ભારતની ભળી-ભોળી જનતાને ઇન્દિરા સ્ટાઈલથી માથે ઓઢી 'નામાસ્ખર' કરી બે ચાર હિન્દી શબ્દો બોલે છે પણ હકીકત એ છે કે ૧૯૮૪  સુધી  તેમણે ઇટલી નો પાસપોર્ટ અને નાગરિકત્વ છોડ્યા ન હતા. (કદાચ ગમે ત્યારી જરૂર પડું જાય). રાજીવ અને સોનિયાના લગ્ન થયા હતા-૧૯૬૮ માં, ભારતના નાગરિકીય કાયદા અનુસાર (જે કાયદો ભાજપ કે સામ્યવાદીઓએ નહિ પણ કોંગ્રેસેજ ૧૯૫૦ માં બનાવ્યો છે). સોનિયાએ પાંચ વર્ષની અંદરજ ભારતની નાગરિકતા સ્વીકારવી જોઈતી હતી એટલેકે ૧૯૭૪ સુધીમાં. પણ આ કામ તેમણે ૧૦ વર્ષ પછી કર્યું. આ આંખ આડા કાન કરે એવી વાત નથી. આ પંદર વર્ષ દરમિયાન બે તકો એવી આવી જયારે સોનિયા ગાંધી પોતાની જાતને ભારતીય સાબિત કરી શકે એમ હતા. પ્રથમ તક આવી ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે.(બાંગ્લાદેશ ત્યારેજ અલગ કરાવાયું હતું.) એ સમયે આપત્કાલીન આદેશો  અનુસાર ઇન્ડિયન એર-લાઇન્સના પ્રત્યેક પાયલોટની રજાઓ  રદ્દ કરવામાં આવી હતી, જેથી સેનાને ગમે ત્યારે મદદ પહોંચતી કરી શકાય. માત્ર એકજ પાયલોટને તેમાંથી છૂટ આપવામાં આવી હતી. જી હા- રાજીવ ગાંધી એ સમયે પૂર્ણકાલીન પાયલોટ હતા. જયારે સમગ્ર ભારતીય પાયલોટ માતૃભૂમિની સેવા માટે ઉપસ્થિત હતા ત્યારે સોનિયા ગાંધી પોતાના પતિ અને બે બાળકો સાથે ઇટાલીની સુરમ્ય વાડીઓમાં હતા. તેઓ ત્યારેજ પાછા ફર્યા જયારે જનરલ નીયાજીએ સમર્પણના કાગળો પર સહી કરી.

બીજો મોકો આવ્યો ઈ.સ. ૧૯૭૭ માં જયારે એવા સમાચાર આવ્યા કે ઇન્દિરા ગાંધી ઇલેક્સન હારી ગયા છે અને કદાચ એવું બને કે જનતા પાર્ટીની સરકાર તેમની ધરપકડ કરે અથવા પરેશાન કરે, માયનો મેડમે તરતજ તેમનો સામાન પેક કર્યો અને પોતાના બંને બાળકો સાથે દિલ્લીના ચાણક્યપુરી સ્થિત ઇટાલિયન દુતાવાસમાં જી પહોચ્યા. ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી અને મેનકા ગાંધીના સહિયારા પ્રયાસોથી પાછા ફર્યા. 1984 માં પણ ભારતીય નાગરિકતા ગ્રહણ કરાવી તેમની મજબૂરી એટલા માટે હતી કે રાજીવ ગાંધી માટે એ ઘણી જ શરમજનક અને અસહ્ય પરિસ્થિતિ હોત કે એક ભારતીય વડાપ્રધાનની પત્ની ઇટાલિયન નાગરિક છે. ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરવાની તારીખ ભારતીય પ્રજાથી સફીપુર્વક છુપાવવામાં આવી. ભારતનો કાયદો અમેરિકા, જર્મની, થઈલેન્દ અથવા સીંગપુર વગેરે દેશો જેવો નથી જેમાં ત્યાં પૈદા થનાર વ્યક્તિ જ ઉચાં પદો પર બેસી શકે છે. ભારતના સંવિધાનમાં આ પ્રાવધાન એટલા માટે નથી કે એ બનાવનાર 'બિનસાંપ્રદાયિક' નેતાઓએ સપનામાં પણ વિચાર્યું નહિ હોય કે આઝાદીના સાઠ વર્ષના સમયમાંજ કોઈ વિદેશી મૂળની વ્યક્તિ વડાપ્રધાન પદની દાવેદાર બની જશે. સંવિધાન અનુસાર સોનિયા ગાંધી વડાપ્રધાન પદના દાવેદાર બની શકે છે, જેમ કે હું અથવા અન્ય કોઈ પરંતુ ભારતના નાગરિકતા કાયદા અનુસાર વ્યક્તિ ત્રણ રીતે ભારતની નાગરિક થઇ શકે છે- પ્રથમ જન્મથી, દ્વિતીય નોધાણીથી અને ત્રીજું પ્રાકૃતિક કારણો (ભારતીય સાથે વિવાહ પછી સતત પાંચ વર્ષો સુધી ભારતમાં વસવાટ). આ પ્રમાણે હું અને સોનિયા ગાંધી બંને ભારતીય નાગરિક છીએ, પરતું હું જન્મથી ભારતીય નાગરિક છું અને મારાથી એ કોઈ ઝુંટવી શકે એમ નથી પરંતુ સોનિયા મુદ્દે તેમની નોધણી રદ્દ થઇ શકે છે. તેઓ ભલે લાખ વખત દાવો કરે કે તેઓ ભારતીય વહુ છે પણ તેમની નાગરિકતા નોધણી ભારતની નાગરિકતા કાયદાની ધારા ૧૦ અનુસાર ત્રણ ઉપધારાઓના કારણે રદ્દ થઇ શકે છે.(અ) તેમણે નાગરિકતાની નોધણી દગાબાજી અથવા વાસ્તવિક કારણો છુપાવીને કરી હોય. (બ)તે નાગરિક ભારતના સંવિધાન પ્રત્યે અપ્રમાણિક હોય.(ક)નોધણી કરાવેલ નાગરિક યુદ્ધકાળ દરમિયાન દુશ્મન દેશ સાથે કોઈ પણ પ્રકારે સંપર્કમાં હોય (આ મુદ્દાઓ પર ડો.સુબ્રમણ્યમ સ્વામી ઘણું કામ કરી ચુક્યા છે અને પોતાના પુસ્તકમાં તેમણે આનો ઉલ્લેખ પણ કાર્યોં છે જે તમે આ અનુવાદના ત્રીજા ભાગમાં વાંચી શકશો.) રાષ્ટ્રપતિ કલમ સાહેબના દિમાગમાં એક વાત ચોક્કસ રીતે ચાલી હશે તે એ કે ઇટાલીના કાયદાઓ અનુસાર ત્યાનો કોઈ પણ નાગરિક બેવડી નાગરિકતા રાખી શકે છે, ભારતના કાયદામાં એવું નથી. અને હજુ સુધી એ સાર્વજનિક થયું નથી કે સોનિયાએ પોતાનો ઇટલીવાળો પાસપોર્ટ અને નાગરિકતા ક્યારે છોડ્યા? આવામાં તેઓ ભારતના વડાપ્રધાન બનવાની સાથે સાથે ઇટાલીના વડાપ્રધાન પદના દાવેદાર બની શકે છે. અમેરિકાના સંવિધાન અનુસાર સર્વોચ્ચ પદે સ્થાપિત થનાર વ્યક્તિને અંગ્રેજી આવડવું જોઈએ, અમેરિકા પ્રત્યે વફાદાર હોય અને અમેરિકી સંવિધાન અને સાસણ વ્યવસ્થાનો જાણકાર હોય. ભારતનું સંવિધાન પણ લગભગ મળતું આવે છે. પરંતુ સોનિયા કોઈ પણ ભારતીય ભાષમાં પારંગત નથી(અંગ્રેજીમાં પણ), તેમની ભારત પ્રત્યેની પ્રમાણિકતા પણ માત્ર ૨૨ ૨૩ વર્ષ જ જૂની છે અને તેમને ભારતીય સંવિધાન અને ઇતિહાસની કેટલી જાણકારી છે એતો સૌ જાણે છે. જયારે કોઈ નવા વડાપ્રધાન બને છે ત્યારે ભારત સરકારનો પત્ર સુચના બ્યુરો (પી.આઈ. બી) તેમનો બાયોડેટા અને અન્ય માહિતી એક પેમ્ફલેટમાં રજુ કરે છે. આજ સુધી એ પેમ્ફલેટ   કોઈએ ધ્યાનથી નથી જોયો કારણકે જે પણ વડાપ્રધાન બન્યા જનતા, પ્રેસ તેમના વિષે નખશીખ જાણે છે
.
અને ન કરે નારાયણ સોનિયાએ વડાપ્રધાન પદ પ્રાપ્ત કર્યું તો એ જાણવું જરૂરી છે કે સોનિયાનો જન્મ ખરેખર ક્યાં થયો હતો? તેમના પિતાનું નામ શું છે? અને તેમનો ઈતિહાસ શું છે? તેમણે કઈ સ્કુલમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું? તેમનું મનપસંદ ભોજન શું છે? હિન્દી  ફિલ્મનો કયો ગાયક તેમને વધારે ગમે છે? કયા ભારતીય કવિની કવિતાઓ તેમને ગમે છે? શું ભારતના વડાપ્રધાન વિષે આટલું પણ ન જાણવું જોઈએ?
महाजाल पर सुरेश चिपलूनकर


સોમવાર, 21 માર્ચ, 2011

સોનિયા ગાંધી વિશે તમે શું જાણો છો? પ્રકરણ ૧


      ભારતની જાસુસી સંસ્થા રૉનું સર્જન ૧૯૬૮માં થયું હતું. જેણે વિવિધ દેશોની ગુપ્તચર સંસ્થાઓ- અમેરિકાની સી આઇ એ, રશિયાની કે જી બી, ઇઝરાયેલની મોસાદ તથા ફ્રાંસ અને જર્મનીમાં પોતાના સંપર્કો વધાર્યા અને એક નેટવર્ક ઉભું કર્યું. આ જાસુસી સંસ્થાઓના પોત પોતાના સ્ત્રોત હતા અને તેઓ આતંકવાદ, ઘૂષણખોરી અને ચીનના ભય વિશે માહિતીનું આદાન પ્રદાન કરવામાં સક્ષમ હતી. પણ રૉએ ઇટલીની જાસુસી સંસ્થાઓ સાથે આ પ્રકારનો સહયોગ અને જોડાણ કર્યું ન હતું કારણકે રૉના વરિષ્ઠ જાસુસોની માન્યતા હતી કે ઇટાલિયન જાસુસી સંસ્થાઓ ભરોસાપાત્ર નથી અને તેમની માહિતીની ક્ષમતા પણ શંકાપ્રેરક હતી. ૧૯૮૦માં સંજય ગાંધીના મૃત્યુ પછી રાજીવ ગાંધીનો સક્રિય રાજકારણમાં પ્રવેશ થયો. રૉની નિયમિત બ્રિફિંગમાં રાજીવ ગાંધી પણ ભાગ લેવા લાગ્યા હતા. એવી સંક્ષિપ્ત બેઠકને બ્રિફિંગ કહે છે જેમાં રૉ, સી બી આઇ અથવા પોલીસ કે અન્ય સરકારી સંસ્થા વડાપ્રધાન ગૃહમંત્રીને પોતાનો અહેવાલ આપે છે. જ્યારે રાજીવજી સરકારના કોઇ પદ પર ન હતા તેઓ તે સમયે માત્ર કોંગ્રેસના મહાસચિવ હતા. રાજીવ ગાંધી ઇચ્છતા હતા કે અરુણ નહેરુ અને અરુણસિંહ પણ રૉની આ બેઠકમાં સામેલ થાય. રૉના કેટલાંક વરિષ્ઠ અધિકારીઓએ દબાયેલા અવાજે આ બાબતનો વિરોધ પણ કર્યો હતો. રાજીવ ગાંધી કોઇ અધિકારિક પદ પર ન હતા છતાં પણ ઈંદિરા ગાંધીએ રૉને તેની અનુમતિ આપવા કહ્યું હતું છતા પણ રૉએ ઈંદિરાજી સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે એ લોકોના નામ આ બ્રિફિંગના રૅકોર્ડમાં નહીં આવે. એ બેઠકો દરમિયાન રાજીવ ગાંધી રૉ પર એવું સતત દબાણ કરતા હતા કે તેઓ ઇટાલિયન જાસુસી સંસ્થાઓ સાથે પણ જોડાણ કરે. રાજીવ ગાંધી એવું કેમ ઇચ્છતા હતા? શું તેઓ એટલા અનુભવી હતા કે તેમને ઇટાલિયન જાસુસી સંસ્થાઓના મહત્વની સમજ આવી ગઇ હતી? એવું કંઇ જ ન હતું. આની પાછળનું એક માત્ર કારણ હતું-સોનિયા ગાંધી રાજીવ ગાંધીએ સોનિયા ગાંધી સાથે ઇસ ૧૯૬૮માં લગ્ન કર્યા હતા. જો કે રૉની એવી માન્યતા હતી કે ઇટલીની એજન્સીઓ સાથે જોડાણ એટલે-પૈસા અને સમયની બરબાદી. રાજીવજી સતત દબાણ કરતા રહ્યા, છેવટે દશ વર્ષ પછી રૉએ ઇટલીની જાસુસી સંસ્થાઓ સાથે જોડાણ કરી નાખ્યું. શું તમે જાણો છો કે રૉ અને ઇટલીના જાસુસોની પ્રથમ અધિકારિક મીટિંગની વ્યવસ્થા કોણે કરી હતી? જી હા, સોનિયા ગાંધીએ. સીધી વાત એ છે કે સોનિયા ગાંધીનો ઇટલીના જાસુસો સાથે સતત સંપર્ક હતો. એક કોમળ ગૃહિણી જે રાજકારણ અને પ્રશાસનિક બાબતોથી અલિપ્ત હોય અને ઇટાલિયન જાસુસી સંસ્થાઓ સાથે જેનો ઘરોબો હોય તે વિચારવા જેવી બાબત છે એ પણ ત્યારે જ્યારે તેમણે ભારતીય નાગરીકત્વ સ્વીકાર્યું ન હતું (ભારતીય નાગરીકત્વ તેમણે ઘણા સમય પછી પ્રાપ્ત કર્યું.) વડાંપ્રધાનના ઘરમાં રહેતા હોવા છતાં! જો કે રાજીવ સ્વયં સરકારમાં ન હતા. એવું હોઇ શકે કે રૉ આ જ કારણથી ઇટાલિયન જાસુસી સંસ્થાઓ સાથે ગઠબંધન કરવા અચકાતી હોય કારણકે આવા કોઇ પણ સહયોગ પછી એ જાસુસોની પહોંચ માત્ર રૉ સુધી સીમિત ન રહેતા વડાંપ્રધાન કાર્યાલય સુધી વધી શકે એમ હતી. જ્યારે પંજાબમાં આતંકવાદ પરાકાષ્ટાએ હતો ત્યારે સુરક્ષા અધિકારીઓએ ઇંદિરા ગાંધીને બુલેટપ્રૂફ કારમાં જવાની સલાહ આપી હતી. ઈંદિરા ગાંધીએ એમ્બેસેડર કારોને બુલેટ પ્રૂફ બનાવવા કહ્યું એ સમયે ભારતમાં બુલેટપ્રૂફ કારો બનતી ન હતી જેથી એક જર્મન કંપનીને બુલેટપ્રૂફ કારો બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો. જાણવા ચાહો છો આ ઓર્ડરનો વચેટિયો કોણ હતો? (ક્રમસઃ) महाजाल पर सुरेश चिपलूनकर (suresh chiplunkar)માંથી ગુજરાતી અનુવાદ- આ બ્લોગની લિંક માટે મારી લિંક સુચિ જુઓ

શુક્રવાર, 18 માર્ચ, 2011

સોનિયા ગાંધી વિશે તમે શું જાણો છો? પ્રસ્તાવના

સોનિયા ગાંધી વિશે તમે શું જાણો છો? પ્રસ્તાવના આ લેખ હિન્દી લેખ આપ સોનિયા ગાંધી કો કિતના જાનતે હો?महाजाल पर सुरेश चिपलूणकर(sureshchiplunkar)નો ગુજરાતી અનુવાદ છે. જ્યારે ઇન્ટરનેટ અને બ્લોગની દુનિયામાં પ્રવેશ કર્યો ત્યારે સોનિયા ગાંધી વિશે ઘણું વાંચવા મળ્યું . પહેલા તો મેં પણ આનો વિશ્વાસ ન કર્યો અને માત્ર બકવાસ સમજી મગજમાંથી કાઢી નાખ્યું પણ એક બે નહીં ઘણાં લેખકોએ સોનિયા ગાંધી વિશે ઘણું લખ્યું છે જે હજુ સુધી પ્રિન્ટ મીડિયામાં આવ્યું નથી અને ભારતમાં કેટલાં અને કેવાં પ્રકારના લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે તે જણાવવાની જરૂર નથી. આ સમગ્ર માહિતી હિન્દીમાં અને ખાસ કરીને યુનિકોડમાં પણ વાચકોને સરળતાથી મળવી જોઇએ એ વિચારી મેં નહેરુ ગાંધી રાજવંશ નામની પોસ્ટ લખી હતી જેનાથી મને ભિન્ન પ્રતિસાદ મળ્યા. કેટલાકે તેના વખાણ કર્યા અને કેટલાક તટસ્થ રહ્યા તો કોઇકે વ્યક્તિગત મેઇલ મોકલી ગાળો પણ આપી. મુંડે મુંડે મર્તિભિન્ના. આતો સ્વાભાવિક જ હતું પણ સૌથી આશ્ચર્યકારક એ હતું કે કેટલાક વિદ્વાનોએ મારી લેખનકળાને જ પડકારી અને અંગ્રેજીથી હિન્દી અથવા હિન્દીથી મરાઠીના અનુવાદને એક અમૌલિક કાર્ય જાહેર કર્યું . જો કે હું તો અનુવાદને લેખન કૌશલ્ય માનુંજ છું અને દેશની એક મહત્વની હસ્તિ વિશેના લખાણને હિન્દી વાચકો માટે અનુવાદ રજૂ કરવાને કર્તવ્ય સમજું છું. લગભગ હું એટલો તો ઇમાનદાર છું કે જ્યાંથી અનુવાદ કરું તેમનું નામ પ્રાપ્ત હોય તો નામ અને લિંક મળે તો લિંક મૂકું છું . સોનિયા ગાંધી વિશે તમે શું જાણો છો? ના મૂળ અંગ્રેજી લેખક છે એસ ગુરુ મૂર્તિ અને આ લેખ તારીખ ૧૭ એપ્રિલ ૨૦૦૪માં ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસમાં અનમાસ્કિંગ સોનિયા ગાંધી શીર્ષકથી પ્રકાશિત થયો હતો...

શુક્રવાર, 11 માર્ચ, 2011

બ્લોગ પર નિયંત્રણ ?


હવે બ્લોગ પર પણ નિયંત્રણ આવી શકે છે એવા સમાચાર આવી ગયા છે. ક્યાં, કઈ રીતે એ તો અલ્લાહ અને ઇશુ જાણે... નિયંત્રણો મુકવા હોય તો દેશમાં અન્ય ઘણી જગ્યાએ તે જરૂરી છે. પ્રથમ તો ટેલિવિઝન પર આવતી જાહેરાતો જેમનું ટાર્ગેટ બાળકો છે. બાળકોને જેમાં કોઈ જ લેવાદેવા ન હોય તેવી પ્રૉડક્ટની જાહેરાતોમાં પણ બાળકોને ઘસડી લાવવામાં આવે છે. કપડા ધોવાના પાવડરમાં પણ બાળકો. જેથી તે કહી શકે કે મમ્મી આ જ સાબુ ખરીદવો છે. દાગ અચ્છે હૈ... નુડલ્સ, ટોનિક, ચોકલેટ, કોલ્ડ્રિંક્સ, બિસ્કીટ, ટૂથપેસ્ટ, વેસેલિન, જાંગિયા, બાળોતિયાં... સ્ત્રી પુરુષના ઉપયોગની વસ્તુઓમાં બાળકો અને બાળકોને ખાવાની ચોકલેટની જાહેરાતમાં યુવતીને જોઇને મનમાં લડ્ડુ ફોડતો યુવાન. દો રૂપયમે દો લડ્ડુ. રિયાલિટી શો(ખાસ કરીને બાળકોના) માં જેના અર્થની પણ સમજ ન પડે એવી ગંભીર ગઝલો ગવડાવવામાં આવે છે જે અપ્રાકૃતિક છે. મુન્ની બદનામ હુઇ જેવા ગીતો પર નિયંત્રણ કેમ નહીં? જેનું નામ મુન્ની હોય તેને આ ગીત સાંભળી કેવી ફિલિંગ થતી હશે?

બુધવાર, 9 માર્ચ, 2011

જેવું માનીએ તેવું લખીએ

ઇ ટીવીના સંવાદ કાર્યક્રમમં જાણીતા પત્રકાર સ્વર્ગસ્થ શ્રી દિગંતભાઈ ઓઝાએ પૂછાયેલા એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં વર્તમાન યુવા પત્રકારોને સંદેશો આપતા કહ્યું હતું કે તમે જે માનો છો તેવું લખો, બોલો.
શું દરેક પત્રકાર, લેખક જે માન્યતા અને વિચારધારા ધરાવે છે એ જ લખે છે? લખી શકે છે?

શ્રી દિગંતભાઈ બિનસાંપ્રદાયિકતાના કટ્ટર હિમાયતી હતા છતાં તેમણે એવું નથી કહ્યું કે કોઈ નિશ્ચિત માન્યતાઓ વિરુદ્ધ કે તરફેણમાં લખો.તમને જે સાચું લાગે તે લાખો. આ સાદી, સરળ વાતને સમજી નવા વિચારોનું સ્વાગત કરી પ્રગટ કરનારા કેટલાં?

દરેકના પ્રત્યેક વિચારો અને માન્યાતો સાથે સહમત ન થઇ શકાય એ જ રીતે વિરોધી મતનું સ્વાગત કરવું એ પણ જરૂરી છે. અને આ જગતમાં છેલ્લું સત્ય શું છે? બધું જ શક્ય છે. કલ્પના પણ ન કરી હોય તે વાસ્તવિકતા બની સામે આવી ઉભું રહે છે.