શુક્રવાર, 25 જાન્યુઆરી, 2013

સાંસ્કૃતિક આતંકવાદ



કમાલના અભિનેતા અને પ્રોડ્યુસર ડીરેક્ટર કમલની ફિલ્મ 'વિશ્વારુપમ'ને પ્રસારિત થતા અટકાવી દેવામાં આવી છે. તમિલનાડુ સરકારનો અને તેને અટકાવવામાં રસ છે તેવા રાજકીય સંગઠનોનો  આક્ષેપ છે કે ફિલ્મમાં મુસ્લિમોને આતંકવાદી દર્શાવવામાં આવ્યા છે. કમલે તેનો બચાવ કર્યો અને કહ્યું કે ફિલ્મમાં જે બાબતનો વિરોધ કરી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે એવું કઈ જ નથી, ઉલટાનું મુસ્લિમોને પણ આ ફિલ્મ પસંદ આવશે. કહેવાય છે કે કમલે આ ફિલ્મમાં પોતાની જિંદગી ભરની કમાણી લગાવી દીધી છે. એટલે કમલ તરફથી તીખી પ્રતિક્રિયા આવે તે સ્વાભાવિક છે. કમલની ફિલ્મો સામાન્ય ચીલા ચાલુ હિન્દી ફિલ્મો જેવી નહિ પણ જરા હટકે હોય છે અને તેમની બૌધિક ક્ષમતા ફિલ્મમાં જોવા મળતી જ હોય છે. આ એવો અભિનેતા અને દિગ્દર્શક છે જે વાસ્તવ અને કલ્પનાનું ગજબનું મિશ્રણ કરી દેશના પ્રશ્નોને વાચા આપે છે. 'હે રામ', 'હિન્દુસ્તાની', 'દશાવતાર' જેવી અદ્ભુત ફિલ્મો દ્વારા તેમણે જે સંદેશ આપ્યો તેને દુનિયા જાણે છે. પોતાનો રાજકીય રીતે ઉપયોગ થતો હોવાનું કહી કહ્યું કે આ 'સાંસ્કૃતિક આતંકવાદ' છે. અને તે ખોટું પણ નથી. સાચા કલાકારોની કલાને સમજ્યા વગર જ તેની રચનાને અટકાવવી અને કલાના નામે સંસ્કૃતિના છોતરા ઉડાડ્નારાઓને છૂટો દોર આપી દેવો તે સાંસ્કૃતિક આતંકવાદ જ કહેવાય. એવી કઈ ફિલ્મ છે જેમાં હિન્દુઓનો મત વ્યક્ત થયો હોય? 'હે રામ' ફિલ્મ દ્વારા કમલે એ પ્રયાસ કર્યો હતો અને એ સમયે પણ તેણે ચોક્કસ પ્રકારના લોકોનો વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અને તેથી જ કમલ તેમને આંખના કણાની જેમ ખુંચે તે સ્વાભાવિક છે.

'દશાવતાર' ફિલ્મમાં કમલ દશ રૂપોમાં જોવા મળે છે. 'હિન્દુસ્તાની'માં ક્રાંતિકારીનું પાત્ર એક રાષ્ટ્રવાદીને પોતીકું લાગે અને 'હે રામ'નો મદ્રાસી બ્રાહ્મણ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરે છે. 'હે રામ' વખતે પણ આવો જ વિરોધ ગાંધીવાદીઓ અને કોંગ્રેસ દ્વારા થયો હતો. જેના કારણે કેટલાક અદ્ભુત દ્રશ્યો અત્યારે ફિલ્મમાંથી નીકળી ગયા છે. ક્યારેક આ ફિલ્મ ટીવી પર બતાવવામાં આવે ત્યારે કેટલાક વાંધાજનક(?) દ્રશ્યો બતાવવામાં આવતા નથી. અને આ મુઠી ઉછેરો કલાકાર એમ ગાંજ્યો જાય એવો નથી. તેની ફિલ્મ આજે નહિ તો કાલે પ્રદર્શિત થશે જ તેમાં નવાઈ નથી.

'હે રામ' ફિલ્મમાં કમલે શાહરૂખ ખાનને એક નાનકડી ભૂમિકા આપી હતી. એ પછી શાહરૂખે તેની ફિલ્મ 'મૈ હૂં ના' માં કમલને અભિનય કરવાની વિનંતી કરી  હતી અને કમલે તેનો અસ્વીકાર એવું કહીને કર્યો હતો કે ફિલ્મની સ્ક્રીપ્ટ બરાબર નથી, જેનાથી શાહરુખને માઠું લાગી ગયું હતું.  હવે 'મૈ હું ના' જેવી ધરાર અવાસ્તવિક ફિલ્મમાં કમલને રસ ન પડે અને તે શાહરુખને ન સમજાય તે પણ સ્વાભાવિક છે. 'મૈ હું ના' ફિલ્મમાં એક હિન્દુને આતંકવાદી દર્શાવવામાં આવ્યો હતો જેમાં રતી ભાર પણ વાસ્તવિકતા નથી. તે ફિલ્મ વિના વિરોધે રિલીજ થઇ ગઈ હતી અને હીટ પણ સાબિત થઇ હતી. હિન્દી ફિલ્મોમાં મુલ્લાઓ અને પાદરીઓની કરુણતા અને પંડિતોની નીચતા અને અધમતાની નવાઈ નથી. હિંદુઓ જો એવું વિચારે તો એક પણ ફિલ્મ રિલીજ ન થવા દે. અને આમેય હિન્દી ફિલ્મો સંક્રમણ કાળમાંથી પસાર થઇ રહી છે. લવ... સેક્ષ અને ધોકા સિવાય શું જોવા મળે છે?

અહી એક કાર્ટૂન દોરાનારાની ધરપકડ થઇ શકે છે પણ જાવેદ અખતરો, મહેશ ભટ્ટો અને નિદા ફજલીઓના હિંદુઓ પરના બેફામ વાણી વિલાસને માથે ચઢાવવામાં આવે અને કોઈ એક ખાસ કોમની બદીઓ વિષે જરા સરખો પણ ઈશારો  કરે તો તેનું કેરિયર ધૂળ ધાણી કરી નાખવામાં આવે તે સાંસ્કૃતિક આતંકવાદ જ છે. ગયા વર્ષે ટીવી ચેનલ પર પ્રસારિત થતી ૨ ટીવી સીરીયલો એકએક બંધ કરી દેવામાં આવી. 'ચંદ્ર ગુપ્ત મૌર્ય' ધનનંદનાં વધ પહેલા બંદ થઇ અને ત્યાર પછી 'વીર શિવાજી' માં છત્રપતિ શિવાજીના વાઘ નખથી અફજલ ખાનનું પેટ ચીરાતું બિનસાંપ્રદાયિક હિન્દુસ્તાનમાં ન જોઈ શકાય તે સ્વાભાવિક છે.સાચી વાત તો એ છે કે સાંસ્કૃતિક આતંકવાદ પણ ધીરે ધીરે પણ મક્કમતાથી જડો જમાવી રહ્યું છે. જેમાં સાચાની નિષ્ક્રિયતા અને ખોટાની સક્રિયતાથી ફૂલી ફાલી શકે છે. ઢંગ ધડા વગરની ફિલ્મો અને ટી વી સીરીયલો અને અધુરી, અધકચરી, અતાર્કિક એવી અન્ય સામગ્રી ઠાલવતા ક્ષેત્રો આના ઉદાહરણો છે. મોટા માધ્યમોમાં મોટી મોટી વાતો કરનારા ખરા ટાણે પાણીમાં બેસી જાય તે પણ (અદ્રશ્ય) સાંસ્કૃતિક આતંકવાદ જ કહેવાય.

રીલેટેડ પોસ્ટ - 'હે રામ' એક નિષ્ફળ અને ભુલાયેલી ફિલ્મની સમીક્ષા

ગુરુવાર, 24 જાન્યુઆરી, 2013

બોલે એનું બધુંય વેચાય...



આજે બજારમાં શાક-ભાજી વેચનારાઓ વચ્ચેની તકરાર મારાથી સંભળાઈ ગઈ. આ સબ્જીવાળો ભાઈ દરરોજ હાઈવે નજીક ઉભો રહે છે અને આજે તે બજારમાં ઉભો રહ્યો. અને તેની આદત અને આવડતનાં કારણે જોર જોર થી બુમો પડતો હતો. બીજી લારીવાળી બહેનોએ વાંધો ઉઠાવ્યો કે તું બુમો કીમની પાડશ. પણ તેને તો વધારે શુરાતન ચડ્યું. બજારમાં સૌથી વ્યાજબી કહી શકાય તેવો ભાવ તેનો હોય છે. જોખવામાં ગોટાળો કરતો હોય તો રામ જાણે પણ તે બોલવાની તેની કળાનો છૂટ થી ઉપયોગ કરે છે. ઓછા નફે અને આ રીતે લય બદ્ધ રીતે બોલી ગ્રાહકોને આકર્ષિત કરી તે ધંધો કરે છે. દરેક લારીવાળાની આ બીઝનેસ સ્ટ્રેટેજી ના પણ હોય. એટલે તેમને આ ખટકે તે સ્વાભાવિક છે. વિરોધ છતાં તે તેની સ્ટ્રેટેજી બદલ્યા વગર હિંમત અને મક્કમતાથી ત્યાં ઉભો રહ્યો. 

બોલવું - સ્પષ્ટ રીતે, સામેવાળાને સમજાય તે રીતે અને લવારો કરવો તેમાં ઘણો તફાવત છે. લવારો કારણ વગર થાય છે અને બોલવાનું હોય છે જ્યાં જરૂર હોય ત્યાજ. આમ ઘણી બકા બક થતી હોય પણ જ્યાં બોલવું જરૂરી હોય ત્યાં જીભ સિવાઈ જતી હોય છે. કારણ વગરના લાવારમાં તે ઉર્જા ખતમ થઇ ચુકી હોય છે. મને યાદ છે હું એક જાણીતા દૈનિકમાં ટ્રેઈની પત્રકાર તરીકે જોડાયો હતો અને બીજા પણ ઘણા મિત્રો મારી સાથે હતા. એક મહિના ઉપર સમય થઇ જવા છતાં વેતન આપવામાં આવ્યું ન હતું અને કોઈ ખાસ કામ પણ સોપવામાં આવ્યું ન હતું. આખો દિવસ કામ કર્યા વગર જ પસાર થતો. તંત્રી આવવા જવામાં ઘણા જ અનિયમિત હતા. કંટાળો વધતો જતો હતો અને તેનો કોઈ જ નિવેડો આવે તેમ લાગતું ન હતું. અંદરો અંદર ગુસ પુસ ચાલુ જ હતી. એવામાં જ તંત્રીનું આગમન થયું. તેઓ જેવા એમની કેબીનમાં જઈને બેઠા એવો જ હું તેમની કેબીનમાં ઘુસી ગયો અને પરિસ્થિતિની જાણ કરી આગળ નિર્ણય લેવા કહ્યું. જોકે પછી તેમણે એવું કહ્યું કે આજે હું આ વાત કરવાનો જ હતો. હું બહાર આવ્યો ત્યારે મિત્રો આશ્ચર્ય અને ઉત્સુકતાથી મને જોઈ રહ્યા કારણકે મારી છાપ એક ઓછા બોલા વ્યક્તિ તરીકેની હતી. જોકે એવું નથી કે જીવનના પ્રત્યક તબક્કે જરૂર જણાય ત્યાં હું મારી વાત રજુ કરી જ શક્યો છું. મેં પણ મારા જીવનમાં ન બોલીને ઘણી ભૂલો કરી જ છે અને ક્યાંક કારણ વગરનો લવારો પણ થયો હશે. પણ કહેવાનો મતલબ કે ક્યારેક બોલવું જરૂરી બની જાય છે. પોતાનો હક્ક માંગવા પણ બોલવું પડે. 

વક્તૃત્વાની પણ એક કળા હોય છે. બોલકા માણસો પણ જાહેરમાં બોલવા ઉભા થાય ત્યારે તેમના પગ ધ્રુજવા લાગે, ગાળામાં શોષ પડે અને જીભ થોથવાઈ જાય. એવા પણ વક્તાઓ છે જે ઓછા બોલા હોય અને જાહેર સભામાં જંગી મેદની વચ્ચે બોલે ત્યારે લોકોમાં એકતાનતા આવી જાય.અમિતાભ બચ્ચન ઓછા બોલા છે એમ કહેવાય છે પણ જ્યારે તેઓ અભિનયથી સંવાદ બોલે અને જે શ્રેષ્ઠ પરિણામ સામે આવે તેને દુનિયા જાણે છે. દિગ્વિજયસિંહ ઘણું બોલે છે પણ જો જાહેરસભા સંબોધવાની હોય તો કોંગ્રેસી સમર્થકો પણ ભાગી જાય. ગૃહ મંત્રી શિંદેની બકવાસ પછી હાફિજ યુ એન માં જઈને તેની વાત રજુ કરી આવ્યો. શિંદેનાં વેણ આપણા માટે લવારો સાબિત થયા અને હાફિજની યુનોમાં રજૂઆત તેના માટે બોલે તેના બોર વેચાય સાબિત થઇ શકે છે. 

 ઘણા ટીવી ચેનલના પત્રકારો જેનો ઈન્ટરવ્યું લઇ રહ્યા હોય તેને બોલવા ન દે અને પોતે જ પ્રશ્ન કરે અને જવાબ પણ જાતે આપી નિર્ણય પર પણ આવી જાય. આ એક પ્રકારની અશિસ્ત છે જેને બધા જ નેતાઓ આંતરી શકતા નથી. નરેન્દ્ર મોદી આ પ્રકારનો વાર્તાલાપ અધુરો મૂકી ઉભા થઇ ગયા હતા. આપણા બે જવાનો શહીદ થયા પછી આજ તક પર પ્રદર્શિત ખાસ કાર્યક્રમમાં મણી શંકર ઐયર પણ આજ તકના એન્કરને સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે તમારે જ બોલવું હોય તો મને અહી શું કામ બોલાવ્યો? મણી શંકરને બોલવું હતું. 

નક્કર અને સ્પષ્ટ રજૂઆતથી જ શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. રણભૂમિમાં યુદ્ધ લડયા પછી પણ જો બોલતા ન આવડે તો હારી જવાય છે. અડોલ્ફ હિટલરનું તેના સૈનિકોને એવું ઉદબોધન થતું કે તેઓ કાં તો જીતવું અથવા સીધા કોફીનમાં જ જવું એવા નિર્ણય પર આવી જતા. હેઈલ હિટલર... હેઈલ હિટલર... ના જયઘોષથી હિટલરના શબ્દોનો પડઘો પડતો. હિટલરના તેજાબી ભાષણની જાદુઈ અસર થતી. 

ભારતીય જનતા પક્ષના કોઈ નેતાએ કોઈ ખાસ કોમનો ઉલ્લેખ કરીને એમ કહ્યું હોત કે આ આતંકવાદી છે કે આતંકવાદને પ્રોત્સાહન આપે છે તો કોન્ગ્રેસીયાઓ માથે ચડી બેઠા હોત પણ અહી તો ગૃહમંત્રીના લાવરને બે દિવસ થઇ ગયા ત્યારે સામે પક્ષે પણ એવી જ પ્રતિક્રિયા અપાય છે. દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં એવી કોઈ સંવિધાનિક સંસ્થા નથી જ્યાં શિંદેનાં કથનને પડકારી તેમના 'વેણ' ને 'છેલ્લા' વેણ બનાવી દેવામાં આવે? બોલવું અને રજૂઆત કરવી પણ ક્યાં અને કઈ રીતે? એ પણ જરૂરી છે.



સોમવાર, 21 જાન્યુઆરી, 2013

શિંદેને ખબર છે અહી વાંધો નથી ત્યાં માથું કપાઈ જશે...

દુનિયાના કોઈપણ દેશના રાજકારણમાં ન થાય તેવું માત્ર આપણા સેક્યુલર ઇન્ડિયામાજ સંભવ છે. રાષ્ટ્રવાદીઓને ખોટા ચીતરી રાષ્ટ્રદ્રોહીઓને બળ પૂરું પાડી દુશ્મન દેશને ખુલ્લું નિમંત્રણ આપવું કે આવો અમારી ધરતી પર અને અમારા ટુકડા કરી નાખો...

જ્યારે પણ હિન્દુસ્તાનમાં રાષ્ટ્રદ્રોહીઓ માથું ઉચકે અને પાકિસ્તાન દ્વારા દેશની આબરૂના ધજાગરા ઉડાડવાની કોશિશ થાય ત્યારે કોંગ્રેસ (સત્તામાં હોય કે ન હોય) દોષનો ટોપલો હિન્દુવાદી-રાષ્ટ્રવાદી સંગઠનો પર ઢોળી દે છે, ક્યારેક સીધો હિંદુઓ પર જ હુમલો કરવામાં આવે છે જેને રાજકારણ કે સંગઠનો સાથે સીધી રીતે  કઈ જ લેવા દેવા ન હોય. એવું નથી કે કોંગ્રેસના નેતાઓ ભોટ અને ડફોળશંખ છે. આ એક ગંદી રાજનીતિથી પ્રેરાઈને કરવામાં આવે છે. બીજાની લીટીને ભૂસીને પોતાની લીટી મોટી કરવાનો હલકો પ્રયાસ. રાજરમત હોય, એકબીજાના પક્ષો પર લાંછન પણ લગાવાય અને એ દુનિયાના પ્રત્યેક દેશોના  પ્રત્યેક પક્ષોમાં થતું જ હોય પણ દરેકમાં  એક સીમા રેખા હોય રાષ્ટ્ર સુરક્ષાની. રાષ્ટ્ર સુરક્ષાના ભોગે આવું કઈ જ ના થાય. આવું કરનાર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દુનિયાનો કદાચ એક માત્ર પક્ષ હશે. ન ભૂતો ન ભવિષ્યતિ.

કોંગ્રેસનો કાળો ઈતિહાસ આ ગંદી રાજનીતિથી ખદબદે છે. જેની સ્થાપનાનો ઉદ્દેશ્ય જ એવો હતો જે વર્તમાનમાં થઇ રહ્યું છે. અને એટલે જ મહાત્માએ પણ તેને વિખેરી નાખવાનું સુચન કર્યું હતું. મહાત્માની હત્યાનો આક્ષેપ પણ સંઘ પર મૂકી સંગઠન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો જે સંગઠનની મુલાકાત મહાત્માએ લઇ જેના રાષ્ટ્રવાદી કાર્યોની જાતે પ્રશંસા કરી હતી. સોનિયા ગાંધી કદાચ ભારતનો ઈતિહાસ ન  જાણતા હોય પણ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પણ ન જાણતા હોય? ભારત ચીન યુદ્ધ વખતે કટ્ટર સામ્યવાદીમાંથી કોન્ગ્રસી બનેલા આજ મણી શંકર ઐયરે એ સમયે ચીનની પ્રશંસા કરી હતી. એ ભારતીય સામ્યવાદીઓ જેમણે નેતાજી સુભાષ ચંદ્ર બોજ પર લાંછન લગાડવામાં કઈ જ બાકી રાખ્યું ન હતું.

જ્યારે અટલ બિહારી વાજપેયી સત્તા પર હતા ત્યારે 'સિમી' (સ્ટુડેંટ ઇસલામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા) ની દેશદ્રોહી પ્રવૃત્તિઓના પુરાવાઓ સામે આવતા તેના પર પ્રતિબંધ મુકવાના સમયે પણ કોંગ્રેસના કપિલ સિબ્બલે એક રાષ્ટ્રદ્રોહી સંગઠન સાથે હિંદુ રાષ્ટ્રવાદી સંગઠનોની સરખામણી કરી હતી. ઉપરાંત તેના પર પણ પ્રતિબંધની માંગણી કરી હતી. ત્યારે પણ આવો જ કકળાટ થયો હતો. વાજપાયી સરકાર આતંકવાદ વિરોધી 'પોટા'નો નવો કાયદો લાવ્યા ત્યારે કપિલ સિબ્બલે 'પોટા'ને 'રોલેટ એક્ટ' થી પણ વધારે કાળો કાયદો કહી આતંકવાદીઓ તેમના નાતીલા હોય એ રીતની વાત કરી હતી!  અને સત્તા પર આવ્યા પછી તો કોંગ્રેસી નેતાઓને મોકળુ મેદાન જ મળી ગયું. 'પોટા'નો કાયદો રદ થયો. કરોડો અરબોના કૌભાંડ અને એક પછી એક શર્મનાક ઘટનાઓની વણથંભી વણઝાર અને તેને ઢાંકવા માટે પાછલા મુદ્દાને હાંસિયા પર ધકેલી લોકોના દિમાગને ડાયવર્ટ કરવાના કીમિયા. જેમાં રાષ્ટ્રીય(?) ઈલેક્ટ્રોનિક મીડિયાનો પુરતો સાથ સહકાર.

એ પછી તો રાહુલ ગાંધી, દિગ્વિજયસિંહ, લલ્લુ યાદવ વગેરે કઈ કેટલીયે વખત આ પ્રકારના આક્ષેપો મૂકી ચુક્યા છે. અને એ પછી વળતા જવાબ રૂપે તીખી પ્રતિક્રિયાઓ પણ આવી ગઈ. અને અંતે હમેશા થાય છે તેમ મૂળ મુદ્દો કોરણે મુકાઈ જાય છે.લોકોની ભૂલી જવાની અને એક પછી બીજા મુદ્દા પર પહોચી જવાની વૃત્તિનો અહી બખૂબી ફાયદો ઉઠાવવામાં આવે છે. બાકી વધેલું કામ મીડિયા દ્વારા પૂરું કરવામાં આવે છે. ભાગલા પાડો અને રાજ કરો, વોટ બેન્કની રાજનીતિની જેમ કોંગ્રેસની દિશા બદલવાની માનસિકતા પણ સમજવા જેવી છે. દિલ્લીમાં થયેલ સામુહિક બળાત્કારના મુદ્દે ઘણો હોબાળો થયો પણ અંતે શું થયું? એ મુદ્દાને ભૂલાવવા માટે ડીઝલના ભાવ વધારી દીધા અને રેલવેના ભાડા વધાર્યા એટલે લોકોનું ધ્યાન થોડું એ તરફ ગયું.  એટલે લોકોએ એ મુદ્દો પકડ્યો. એ જ રીતે શ્રી ભાગવત અને આસારામ બાપુને વચ્ચે લાવીને કોંગ્રેસને સરકવા માટે માર્ગ મોકળો કરવામાં આવ્યો. એક પછી એક મુદ્દાઓ ઉભા કરી લોકોને ગૂંચવી નાખવામાં આવે છે અને સરકાર જવાબ આપવામાંથી આબાદ છટકી જાય છે. હવે પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાને બદલે ગૃહમંત્રી શિંદેનો લવારો અમસ્તો જ નથી. શિંદે અને તેમની સરકાર સુપેરે જાણે છે કે હિંદુઓને કઈ પણ કહેવાથી વાંધો નહિ આવે થોડું બોલીને શાંત થઇ જશે. થોડીક લાકડીઓ હવામાં વીંજાશે. એ સિવાય કરશે શું? અને જો વાત વણસી જાય તો ફેરવી તોળીશું, મીડિયા તો હાજર જ છે. આ પહેલા પણ આમજ થયું છે ને શું ઉખાડી લીધું કોઈએ?

બોલવા, લખવા અને નિવેદનો પ્રગટ કરવા સિવાય પણ નક્કર દિશામાં કામ નહિ થાય તો આ દેશના ટુકડા થતા વાર નહિ લાગે. શિંદે અને તેમના જેવા કાઢી કાઢીને કેટલું કાઢશે? શિંદે જેવા કૈક આવ્યા અને ગયા તારો વૈભવ અમર રહેશે એ વાત સાચી પણ અમરતાની વાતો કરી હાશકારો લેવો તેમજ પાકિસ્તાનના ટુકડા કરી નાખતા હોય તેવા ફોટા અપલોડ કરે રાખવાથી પાકિસ્તાનનું કઈ બગડી જવાનું નથી. શિંદે અને દિગ્ગીને ગાળો દેવાથી પણ કઈ નહિ થાય. બધા હિંદુઓ ભેગા મળીને રાષ્ટ્રની સમસ્યાઓને પોતીકી નહિ ગણે ત્યાં સુધી આમજ ચાલ્યા કરશે.

અને શિંદે સાહેબ આતંકવાદ એટલે શું તમને ખબર છે? ન ખબર હોય તો તમને રાષ્ટ્રના ગૃહમંત્રી તરીકે રહેવાનો કોઈ જ અધિકાર નથી. આતંકવાદી હુમલામાં પોતાના સ્વજનને ગુમાવેલ કોઈ હિન્દુને પૂછી જુઓ. બોમ્બ બ્લાસ્ટ થાય ત્યારે માનવ દેહો હવામાં ફંગોળાય છે, શરીરના ચીન્થડા ઉડી જાય છે અને માંસના લોચા બહાર આવી જાય છે. મનુષ્ય દેહો અંતિમ ક્રિયા કરવાલાયક પણ નથી રહેતા. એ આતંકવાદીઓ અને દુશ્મન દેશ સામે પગલા લેવાને બદલે તમે પ્રમાણ વગર આક્ષેપ મુકો તે ગૃહમંત્રી તરીકે શોભતું નથી. અને જો હિંદુઓ આતંકવાદી હોય તો ૨૫ કરોડ મુસ્લિમોની અને તમારી શું હાલત થાય તેની કલ્પના કરી જુઓ.