રાજીવ ગાંધી સાથે લગ્ન થયા પછી સોનિયા અને તેમના ઇટાલિયન મિત્રોને સ્નૈમ
પ્રોગૈતીની ઓટ્ટોવિયો ક્વોટ્રોચી પાસેથી ભારે ભરખમ રકમ મળી હતી. તે ભારતના
કાયદાથી બેખૌફ બની દલાલીમાં રૂપિયા રળવા લાગ્યો. ગરીબીની નાગચૂડમાં ફસાયેલ
માઇનો પરિવાર થોડાજ સમયમાં અચાનક કરોડપતિ થઇ ગયો. લોકસભામાં નવા નવા થયેલ
સભ્ય તરીકે મેં (સુબ્રમણ્યમ સ્વામી સમજવું) ૧૯ નવેમ્બર ૧૯૭૪ માં તે સમયના
વડાંપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીને પૂછ્યું હતું કે 'શું તમારી પુત્રવધુ
સોનિયા ગાંધી, જેઓ પોતાની જાતને ઇન્શ્યોરન્સ એજન્ટ તરીકે ઓળખાવે છે અને
વડાંપ્રધાન કાર્યાલયનો ઉપયોગ કરે છે? ખરેખર તો આ એક અપરાધ છે કારણકે તેઓ
ઇટાલિયન નાગરિક છે. ત્યારે સંસદમાં ઘણો હોબાળો
થયો હતો. શ્રીમતી ઇન્દિરા ગાંધી ગુસ્સે તો ઘણા થયા હતા પણ તેમની પાસે કોઈ
વિકલ્પ ન હતો એટલે તેમણે લેખિતમાં એવું જણાવ્યું કે 'તે એક ભૂલ હતી અને
સોનિયા ગાંધીએ ઇન્શ્યોરન્સ કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે' (મારા
દ્વારા પ્રશ્ન પુછાયા પછી) પણ સોનિયા ગાંધી દ્વારા ભારતીય કાયદાઓનું અપમાન
કરવાનું અને તોડવાનું અહિયાં જ બંદ ન થયું. ૧૯૭૭ માં જનતા પાર્ટી સરકાર
દ્વારા સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એ. સી. ગુપ્તાના નેતૃત્વમાં બનેલા આયોગે જે
રીપોર્ટ આપ્યો હતો તે અનુસાર 'મારુતિ' કંપની (જે એ સમયે ગાંધી કુટુંબની
મિલકત હતી) એ 'ફેરા કાયદાઓ', 'કંપની કાયદાઓ' અને 'વિદેશી નોંધણી કાયદાઓ'નું
ગંભીરપણે ઉલ્લંઘન કર્યું. પણ ન તો ક્યારેય સોનિયા કે ન તો ક્યારેય સંજય
ગાંધી પર ક્યારેય કેસ થયો કે ન કોઈ કાર્યવાહી થઇ. જો કે આ અત્યારે પણ થઇ
શકે કારણકે ભારતીય કાયદાનુસાર 'આર્થિક કૌભાંડો' પર કાર્યવાહી કરવા માટે કોઈ
જ સમય સીમા નક્કી નથી.
૧૯૮૦ માં શ્રીમતી ઇન્દિરા ગાંધી ફરીથી સત્તાધીસ થયા. સોનિયા ગાંધીએ પ્રથમ
કાર્ય તેમનું નામ વોટર લીસ્ટમાં નોંધાવવાનું કર્યું જે સ્પષ્ટ રીતે કાયદા
સાથે છેડછાડ હતી. તેમના
વિઝા રદ્દ થઇ જવા જોઈતા હતા
કારણકે એ સમયે પણ તેઓ ઇટાલીના નાગરિક હતા. પ્રેસ દ્વારા હોબાળો થયો પછી
દિલ્લીના ચૂંટણી અધિકારીએ ૧૯૮૨ માં તેમનું નામ મતદાતા
સૂચીમાંથી દૂર કર્યું. પરંતુ ફરીથી જાન્યુઆરી ૧૯૮૩ માં
તેમણે પોતાનું નામ મતદાતા સૂચિમાં ઉમેરાવ્યું. એ સમયે પણ તેઓ વિદેશી જ
હતા. (ભારતીય નાગરિક માટે તેમણે એપ્રિલ ૧૯૮૩ માં અરજી કરી હતી) તાજેતરમાં જાણીતા કાયદા શાસ્ત્રી એ.જી.નુરાનીએ તેમના પુસ્તક
'સિટીજન્સ રાઈટ્સ, જજીસ એન્ડ અકોઉંન્ટેબલીટી રેકોર્ડ્સ' માં એવું નોંધ્યું છે કે 'સોનિયા ગાંધીએ જવાહરલાલ નેહરુના વડાપ્રધાન સમયના કેટલાક ખાસ કાગળો એક વિદેશીને બતાવ્યા હતા. જે કાગળો તેમની પાસે ન હોવા જોઈએ, જે તેમને તેમની પાસે રાખવાનો કોઈજ અધિકાર ન હતો. આથી ચોખ્ખું સ્પષ્ટ થાય છે કે તેમના મનમાં ભારતીય કાયદા પ્રત્યે કેવો
આદરભાવ છે અને તેઓ આજે પણ રાજતંત્રની માનસિકતાથી ગ્રસ્ત છે. સોનિયા ગાંધીના
મનમાં ભારતીય કાયદાઓ સંબંધે કોઈ જ ઈજ્જત નથી. તેઓ એક મહારાણીની જેમ
વ્યવહાર કરે છે. જો ભવિષ્યમાં તેમના વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયા ચાલે અને
જેલમાં જવાનો સમય આવે તો તેઓ ઇટલી પણ ભાગી જઈ શકે એવા છે.
ભારતને ધૃણા કરનારાઓ - મોહમ્મદ ઘોરી, નાદિર શાહ અને અંગ્રેજ રોબર્ટ કલાઈવે
ભારતની ધનસંપત્તિને બરાબરની લૂંટી પણ સોનિયા તો ભારતીય છે અને રાજીવ અને
ઇન્દિરા જયારે વડાંપ્રધાન હતાં ત્યારે વડાપ્રધાન
કાર્યાલયના સુરક્ષા ગાર્ડ મોટા મોટા ખોખાઓ ભરીને ચેન્નાઈ વિમાન મથક પર
ઇટલી જતા વિમાનોમાં શું લઇ જતા હતાં? હંમેશા એ ખોખાઓ રોમ માટે બુક થતા.
કસ્ટમ પર તેની કોઈ જ તપાસ થતી ન હતી. અર્જુનસિંહ જેઓ મુખ્યમંત્રી અને
સંસ્કૃતિ મંત્રી રહી ચુક્યા છે તેઓ આ મુદ્દે વિશેષ રસ લેતા હતા. કેટલીક
ભારતીય કલાકૃતિઓ, પુરાતન વસ્તુઓ, ચિત્રકલાઓ, સિક્કાઓ વગેરે ઇટાલીની બે
દુકાનો (જેની માલિક સોનિયાની બહેન અનુસકા છે)માં જોવા મળે છે. આ દુકાનો
ઇટાલીના વૈભવશાળી વિસ્તારો રીવાલતો (દુકાનનું નામ - એટનીકા) અને
ઓર્બેસ્સાનો (દુકાનનું નામ - ગનપતિ) માં છે જ્યાં તેમનો ધંધો ન ચાલવા બરાબર
છે. ખરેખર તો તે એક 'આડ' છે. આ દુકાનોના નામે નકલી બીલ તૈયાર છે. પછી તો
ઘણી જ કિંમતી વસ્તુઓ લંડન લઇ જઈ સૌથારબી અને ક્રીસ્તીજ દ્વારા હરાજીમાં
ચઢાવવામાં આવી. આનો શું મતલબ છે? આ બધા પૈસા જાય છે ક્યાં? એક વાત તો નક્કી છે કે રાહુલ ગાંધીની એક વર્ષ
સુધીની હાર્વર્ડની ફી અને અન્ય ખર્ચાઓની ફાળવણી એક વખત કેમેન દ્વીપની કોઈક
બેંક ખાતામાંથી થઇ હતી.આ બધી બાબતોની ફરિયાદ મેં વાજપેયી સરકારને કરી હતી.
પણ તેમને કઈ ધ્યાન ન આપ્યું. પછી મેં દિલ્લી હાઈકોર્ટમાં અરજી કરી.
હાઈકોર્ટની બેન્ચે સરકારને નોટીસ મોકલી પણ ત્યાં સુધીમાં સરકાર પડી ગઈ. પછી
કોર્ટે સીબીઆઈને આદેશ કર્યો કે તેઓ ઇન્ટરપોલની મદદથી આ મુલ્યવાન વસ્તુઓ
બાબતે ઇટલી સરકારની મદદ લે. ઇટાલિયન સરકારે ભારત સરકાર પાસે અધિકાર પત્ર
માંગ્યો જેના આધારે ઇટલી પોલીસ એફઆઈઆર નોંધી શકે. છેવટે ઇન્ટરપોલે બે મોટા
રીપોર્ટ કોર્ટ અને સીબીઆઈને આપ્યા. ન્યાયાધીશે તેની એક નકલ મને આપવાનું
કહ્યું હતું પણ આજ સુધી સીબીઆઈએ તે મને આપી નથી. સીબીઆઈનું વધુ એક જુઠાણું
ત્યારે પકડાયું જયારે તેમણે કહ્યું કે અર્બેસ્સાનો માઈનો કોઈક પુરુષનું નામ
છે અને વીઓ બેલ્લીની કોક ગામનું નામ છે ન કે માઈનો પરિવારનું સરનામું.
પછીથી સીબીઆઈના વકીલે કોર્ટની માફી માંગી અને કહ્યું કે આ ભૂલ થઇ હતી. એ
વકીલનું પ્રમોશન પછી 'એડીશનલ સોલીસીટર જનરલ' તરીકે થયું હતું. આવું કેમ
થયું? આનો ખુલાસો તો વાજપેયી-સોનિયાની અંદરની 'સુજબુઝ' અને 'ગઠબંધન' જ
જણાવી શકે છે.
સોનિયા ગાંધી તેમના પતિ હત્યારાઓના સમર્થકો એમ ડી એમ કે, પી એમ કે, ડી એમ કે સાથે સત્તા માટે સારા સંબંધો બનાવે છે. કોઈ ભારતીય વિધવા આમ ન કરી શકે. તેમનું પહેલાનું વર્તન-વલણ પણ આ મુદ્દે શંકા ઉપજાવે તેવું રહ્યું છે. જેમકે સંજય ગાંધીનું વિમાન ભોય ભેગું થયું તેમાં વિસ્ફોટ ન થયો. કારણ સામે આવ્યું કે તેમાં ઇંધણ ન હતું જયારે ફ્લાઈટ રજીસ્ટર અનુસાર નીકળતી વખતે ટેંક ફૂલ હતી. જે રીતે માધવરાવ સિંધિયાના વિમાન અકસ્માતના એન ટાઇમ પહેલા મણીશંકર ઐયર અને શીલા દિક્ષિતને તેમની સાથે જતા અટકાવવામાં આવ્યા હતા. ઇન્દિરા ગાંધીના મૃત્યુનું ખરું કારણ હતું તેમના શરીરમાંથી થયેલ વધારે પડતો રક્તસ્ત્રાવ, માથામાં ગોળી વાગવાના કારણે નહિ. તો પછી સોનિયા ગાંધીએ એ સમયે લોહી નીગળતા સમયે ઇન્દિરા ગાંધીને લોહિયા હોસ્પિટલમાં લઇ જવાની જીદ શા માટે કરી હતી? જોકે ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનથી એકદમ ઉંધી દિશામાં છે અને બધી જ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. લોહિયા હોસ્પિટલ પહોચીને ફરી પાછા આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં લઇ જવામાં આવ્યા જેમાં કિંમતી ૨૫ મીનીટનો સમય બરબાદ થઇ ગયો હતો. આવું કેમ થયું? શું આજ સુધી આની કોઈ તપાસ થઇ? સોનિયા ગાંધીનો વિકલ્પ બની શકનારા લગભગ બધાજ યુવા નેતાઓ જેમકે - રાજેશ પાયલટ, માધવરાવ સિંધિયા, જીતેન્દ્ર પ્રસાદ વિવિધ દુર્ઘટનાઓમાં જ કેમ મર્યાં? હવે સોનિયાની સરકાર નિર્વિઘ્ને ચાલી રહી છે પણ એવા કૈક વણઉકલ્યા અને રહસ્યમય પ્રશ્નો ચારેય તરફ મૌજુદ છે જેના કોઈ જવાબો નથી અને કોઈ પૂછનાર પણ નથી. આ જ ઇટાલીની સ્ટાઈલ છે.
સોનિયા ગાંધી તેમના પતિ હત્યારાઓના સમર્થકો એમ ડી એમ કે, પી એમ કે, ડી એમ કે સાથે સત્તા માટે સારા સંબંધો બનાવે છે. કોઈ ભારતીય વિધવા આમ ન કરી શકે. તેમનું પહેલાનું વર્તન-વલણ પણ આ મુદ્દે શંકા ઉપજાવે તેવું રહ્યું છે. જેમકે સંજય ગાંધીનું વિમાન ભોય ભેગું થયું તેમાં વિસ્ફોટ ન થયો. કારણ સામે આવ્યું કે તેમાં ઇંધણ ન હતું જયારે ફ્લાઈટ રજીસ્ટર અનુસાર નીકળતી વખતે ટેંક ફૂલ હતી. જે રીતે માધવરાવ સિંધિયાના વિમાન અકસ્માતના એન ટાઇમ પહેલા મણીશંકર ઐયર અને શીલા દિક્ષિતને તેમની સાથે જતા અટકાવવામાં આવ્યા હતા. ઇન્દિરા ગાંધીના મૃત્યુનું ખરું કારણ હતું તેમના શરીરમાંથી થયેલ વધારે પડતો રક્તસ્ત્રાવ, માથામાં ગોળી વાગવાના કારણે નહિ. તો પછી સોનિયા ગાંધીએ એ સમયે લોહી નીગળતા સમયે ઇન્દિરા ગાંધીને લોહિયા હોસ્પિટલમાં લઇ જવાની જીદ શા માટે કરી હતી? જોકે ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનથી એકદમ ઉંધી દિશામાં છે અને બધી જ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. લોહિયા હોસ્પિટલ પહોચીને ફરી પાછા આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં લઇ જવામાં આવ્યા જેમાં કિંમતી ૨૫ મીનીટનો સમય બરબાદ થઇ ગયો હતો. આવું કેમ થયું? શું આજ સુધી આની કોઈ તપાસ થઇ? સોનિયા ગાંધીનો વિકલ્પ બની શકનારા લગભગ બધાજ યુવા નેતાઓ જેમકે - રાજેશ પાયલટ, માધવરાવ સિંધિયા, જીતેન્દ્ર પ્રસાદ વિવિધ દુર્ઘટનાઓમાં જ કેમ મર્યાં? હવે સોનિયાની સરકાર નિર્વિઘ્ને ચાલી રહી છે પણ એવા કૈક વણઉકલ્યા અને રહસ્યમય પ્રશ્નો ચારેય તરફ મૌજુદ છે જેના કોઈ જવાબો નથી અને કોઈ પૂછનાર પણ નથી. આ જ ઇટાલીની સ્ટાઈલ છે.
પ્રસ્તુત લેખ સુરેશ ચિપલૂણકરે તેમના બ્લોગ મહાઝાલ પર સુરેશ ચિપલૂણકર પર
તારીખ ૨૭ ઓગસ્ટ ૨૦૦૭ ના દિવસે પોસ્ટ કર્યો હતો. સુબ્રમણ્યમ સ્વામીના
અંગ્રેજી લેખોનું આ છેલ્લું પ્રકરણ હતું. મૂળ લખાણને તો ઘણા વર્ષો થઇ ગયા.
સોનિયા ગાંધીના છેલ્લા પ્રકરણની તો અહી પુર્ણાહુતી થઇ પણ ખરેખર જે
ઉદ્દેશ્ય સાથે લેખકે લખ્યું હતું તેની પુર્ણાહુતી થઇ . ઉલટાનું વધારી
વિકસિત થઇ છે. કૌભાંડો પછી મહાકૌભાંડો આ દેશ જોઈ રહ્યો છે તેની પુર્ણાહુતી
ક્યારે?
સોનિયા ગાંધીના અસત્યોનું સત્ય
સોનિયા ગાંધી વિષે ૨
સોનિયા ગાંધી વિષે ૧
સોનિયા ગાંધીના અસત્યોનું સત્ય
સોનિયા ગાંધી વિષે ૨
સોનિયા ગાંધી વિષે ૧