સોમવાર, 21 જાન્યુઆરી, 2013

શિંદેને ખબર છે અહી વાંધો નથી ત્યાં માથું કપાઈ જશે...

દુનિયાના કોઈપણ દેશના રાજકારણમાં ન થાય તેવું માત્ર આપણા સેક્યુલર ઇન્ડિયામાજ સંભવ છે. રાષ્ટ્રવાદીઓને ખોટા ચીતરી રાષ્ટ્રદ્રોહીઓને બળ પૂરું પાડી દુશ્મન દેશને ખુલ્લું નિમંત્રણ આપવું કે આવો અમારી ધરતી પર અને અમારા ટુકડા કરી નાખો...

જ્યારે પણ હિન્દુસ્તાનમાં રાષ્ટ્રદ્રોહીઓ માથું ઉચકે અને પાકિસ્તાન દ્વારા દેશની આબરૂના ધજાગરા ઉડાડવાની કોશિશ થાય ત્યારે કોંગ્રેસ (સત્તામાં હોય કે ન હોય) દોષનો ટોપલો હિન્દુવાદી-રાષ્ટ્રવાદી સંગઠનો પર ઢોળી દે છે, ક્યારેક સીધો હિંદુઓ પર જ હુમલો કરવામાં આવે છે જેને રાજકારણ કે સંગઠનો સાથે સીધી રીતે  કઈ જ લેવા દેવા ન હોય. એવું નથી કે કોંગ્રેસના નેતાઓ ભોટ અને ડફોળશંખ છે. આ એક ગંદી રાજનીતિથી પ્રેરાઈને કરવામાં આવે છે. બીજાની લીટીને ભૂસીને પોતાની લીટી મોટી કરવાનો હલકો પ્રયાસ. રાજરમત હોય, એકબીજાના પક્ષો પર લાંછન પણ લગાવાય અને એ દુનિયાના પ્રત્યેક દેશોના  પ્રત્યેક પક્ષોમાં થતું જ હોય પણ દરેકમાં  એક સીમા રેખા હોય રાષ્ટ્ર સુરક્ષાની. રાષ્ટ્ર સુરક્ષાના ભોગે આવું કઈ જ ના થાય. આવું કરનાર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દુનિયાનો કદાચ એક માત્ર પક્ષ હશે. ન ભૂતો ન ભવિષ્યતિ.

કોંગ્રેસનો કાળો ઈતિહાસ આ ગંદી રાજનીતિથી ખદબદે છે. જેની સ્થાપનાનો ઉદ્દેશ્ય જ એવો હતો જે વર્તમાનમાં થઇ રહ્યું છે. અને એટલે જ મહાત્માએ પણ તેને વિખેરી નાખવાનું સુચન કર્યું હતું. મહાત્માની હત્યાનો આક્ષેપ પણ સંઘ પર મૂકી સંગઠન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો જે સંગઠનની મુલાકાત મહાત્માએ લઇ જેના રાષ્ટ્રવાદી કાર્યોની જાતે પ્રશંસા કરી હતી. સોનિયા ગાંધી કદાચ ભારતનો ઈતિહાસ ન  જાણતા હોય પણ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પણ ન જાણતા હોય? ભારત ચીન યુદ્ધ વખતે કટ્ટર સામ્યવાદીમાંથી કોન્ગ્રસી બનેલા આજ મણી શંકર ઐયરે એ સમયે ચીનની પ્રશંસા કરી હતી. એ ભારતીય સામ્યવાદીઓ જેમણે નેતાજી સુભાષ ચંદ્ર બોજ પર લાંછન લગાડવામાં કઈ જ બાકી રાખ્યું ન હતું.

જ્યારે અટલ બિહારી વાજપેયી સત્તા પર હતા ત્યારે 'સિમી' (સ્ટુડેંટ ઇસલામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા) ની દેશદ્રોહી પ્રવૃત્તિઓના પુરાવાઓ સામે આવતા તેના પર પ્રતિબંધ મુકવાના સમયે પણ કોંગ્રેસના કપિલ સિબ્બલે એક રાષ્ટ્રદ્રોહી સંગઠન સાથે હિંદુ રાષ્ટ્રવાદી સંગઠનોની સરખામણી કરી હતી. ઉપરાંત તેના પર પણ પ્રતિબંધની માંગણી કરી હતી. ત્યારે પણ આવો જ કકળાટ થયો હતો. વાજપાયી સરકાર આતંકવાદ વિરોધી 'પોટા'નો નવો કાયદો લાવ્યા ત્યારે કપિલ સિબ્બલે 'પોટા'ને 'રોલેટ એક્ટ' થી પણ વધારે કાળો કાયદો કહી આતંકવાદીઓ તેમના નાતીલા હોય એ રીતની વાત કરી હતી!  અને સત્તા પર આવ્યા પછી તો કોંગ્રેસી નેતાઓને મોકળુ મેદાન જ મળી ગયું. 'પોટા'નો કાયદો રદ થયો. કરોડો અરબોના કૌભાંડ અને એક પછી એક શર્મનાક ઘટનાઓની વણથંભી વણઝાર અને તેને ઢાંકવા માટે પાછલા મુદ્દાને હાંસિયા પર ધકેલી લોકોના દિમાગને ડાયવર્ટ કરવાના કીમિયા. જેમાં રાષ્ટ્રીય(?) ઈલેક્ટ્રોનિક મીડિયાનો પુરતો સાથ સહકાર.

એ પછી તો રાહુલ ગાંધી, દિગ્વિજયસિંહ, લલ્લુ યાદવ વગેરે કઈ કેટલીયે વખત આ પ્રકારના આક્ષેપો મૂકી ચુક્યા છે. અને એ પછી વળતા જવાબ રૂપે તીખી પ્રતિક્રિયાઓ પણ આવી ગઈ. અને અંતે હમેશા થાય છે તેમ મૂળ મુદ્દો કોરણે મુકાઈ જાય છે.લોકોની ભૂલી જવાની અને એક પછી બીજા મુદ્દા પર પહોચી જવાની વૃત્તિનો અહી બખૂબી ફાયદો ઉઠાવવામાં આવે છે. બાકી વધેલું કામ મીડિયા દ્વારા પૂરું કરવામાં આવે છે. ભાગલા પાડો અને રાજ કરો, વોટ બેન્કની રાજનીતિની જેમ કોંગ્રેસની દિશા બદલવાની માનસિકતા પણ સમજવા જેવી છે. દિલ્લીમાં થયેલ સામુહિક બળાત્કારના મુદ્દે ઘણો હોબાળો થયો પણ અંતે શું થયું? એ મુદ્દાને ભૂલાવવા માટે ડીઝલના ભાવ વધારી દીધા અને રેલવેના ભાડા વધાર્યા એટલે લોકોનું ધ્યાન થોડું એ તરફ ગયું.  એટલે લોકોએ એ મુદ્દો પકડ્યો. એ જ રીતે શ્રી ભાગવત અને આસારામ બાપુને વચ્ચે લાવીને કોંગ્રેસને સરકવા માટે માર્ગ મોકળો કરવામાં આવ્યો. એક પછી એક મુદ્દાઓ ઉભા કરી લોકોને ગૂંચવી નાખવામાં આવે છે અને સરકાર જવાબ આપવામાંથી આબાદ છટકી જાય છે. હવે પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાને બદલે ગૃહમંત્રી શિંદેનો લવારો અમસ્તો જ નથી. શિંદે અને તેમની સરકાર સુપેરે જાણે છે કે હિંદુઓને કઈ પણ કહેવાથી વાંધો નહિ આવે થોડું બોલીને શાંત થઇ જશે. થોડીક લાકડીઓ હવામાં વીંજાશે. એ સિવાય કરશે શું? અને જો વાત વણસી જાય તો ફેરવી તોળીશું, મીડિયા તો હાજર જ છે. આ પહેલા પણ આમજ થયું છે ને શું ઉખાડી લીધું કોઈએ?

બોલવા, લખવા અને નિવેદનો પ્રગટ કરવા સિવાય પણ નક્કર દિશામાં કામ નહિ થાય તો આ દેશના ટુકડા થતા વાર નહિ લાગે. શિંદે અને તેમના જેવા કાઢી કાઢીને કેટલું કાઢશે? શિંદે જેવા કૈક આવ્યા અને ગયા તારો વૈભવ અમર રહેશે એ વાત સાચી પણ અમરતાની વાતો કરી હાશકારો લેવો તેમજ પાકિસ્તાનના ટુકડા કરી નાખતા હોય તેવા ફોટા અપલોડ કરે રાખવાથી પાકિસ્તાનનું કઈ બગડી જવાનું નથી. શિંદે અને દિગ્ગીને ગાળો દેવાથી પણ કઈ નહિ થાય. બધા હિંદુઓ ભેગા મળીને રાષ્ટ્રની સમસ્યાઓને પોતીકી નહિ ગણે ત્યાં સુધી આમજ ચાલ્યા કરશે.

અને શિંદે સાહેબ આતંકવાદ એટલે શું તમને ખબર છે? ન ખબર હોય તો તમને રાષ્ટ્રના ગૃહમંત્રી તરીકે રહેવાનો કોઈ જ અધિકાર નથી. આતંકવાદી હુમલામાં પોતાના સ્વજનને ગુમાવેલ કોઈ હિન્દુને પૂછી જુઓ. બોમ્બ બ્લાસ્ટ થાય ત્યારે માનવ દેહો હવામાં ફંગોળાય છે, શરીરના ચીન્થડા ઉડી જાય છે અને માંસના લોચા બહાર આવી જાય છે. મનુષ્ય દેહો અંતિમ ક્રિયા કરવાલાયક પણ નથી રહેતા. એ આતંકવાદીઓ અને દુશ્મન દેશ સામે પગલા લેવાને બદલે તમે પ્રમાણ વગર આક્ષેપ મુકો તે ગૃહમંત્રી તરીકે શોભતું નથી. અને જો હિંદુઓ આતંકવાદી હોય તો ૨૫ કરોડ મુસ્લિમોની અને તમારી શું હાલત થાય તેની કલ્પના કરી જુઓ.


1 ટિપ્પણી:

महेश કહ્યું...

કહેવાતા સેક્યુલરો માંથી કોઈ ને જાહેર મા કોઈ મુસ્લિમ મારી નાખે તોયે એ લોકો તો મુસ્લિમ વેષ મા હિન્દુ હતો એમ કહેશે એટલા નિચ છે આ લોકો
આપના લેખ સાથે સમ્મત થઉ છુ અને શેર પણ કરુ છુ