સોમવાર, 11 ફેબ્રુઆરી, 2013

કોઈ એમ કહે કે ચિંતા નહિ 'હું બેઠો છું' ત્યારે?

આપ મુસ્તાક અને આપકર્મીઓ પણ ઘણીવાર કોઈકના જાસામાં આવી જતા હોય છે. હૈયું બાળવું તેના કરતા હાથ બાળવા સારા અને આપ મુઆ વગર સ્વર્ગે ન જવાય એ બધું બરાબર પણ શું જીવનનાં દરેક તબક્કે એકલપંડે બધું થાય ખરું? વ્યક્તિએ સ્વાવલંબી થવું જોઈએ એ તો રોજ સંભાળીને કાન ટેવાઈ ગયા પણ સ્વાવલંબન એટલે શું? કોઈ ગમે તેવી ખુદ્દારી કે ખુમારી ધરાવે તો પણ ઘણીવાર બીજાના ભરોસે બેસી રહેવું પડતું હોય તેવું બને. બીજાના ભરોસે આખી જિંદગી કાઢી નાખનારની વાત કરી નિંદા કુથલી કરવી નથી પણ વાત એની કરવી છે જેઓ સ્વબળે જીવન જીવતા હોય, સફળતા - નિષ્ફળતા વચ્ચે જોલા ખાતા હોય તેમજ ક્યારેક પોતે તો ક્યારેક અન્ય દ્વારા ગુંથેલી જાળામાં અટવાતા હોય. ક્યારેક વગર કારણે કોઈની મદદ મળી તેના ભ્રમમાં રહી કચડવાનો સમય પણ આવે. ક્યારેક સમય, સંજોગો, મજબૂરી તેમજ કુદરતની ક્રૂર થપાટોથી વ્યક્તિએ પોતાની સર્જનશીલતા અને ખુમારીને કમને પણ કોઈની મદદના મોહતાજ થવાનું વિચારતા જ કાળોતરાનાં ડંખ જેવી પીડા થાય.

ઘણીવાર મદદ ન લેવી હોય તો પણ મદદ કરનારાઓની ભરમાર થઇ જાય. આજ સંદર્ભે એક આડ વાત. મને યાદ છે કે અમારા એક શિક્ષક ભણાવતી વખતે કેટલીક જાણીતી વ્યક્તિઓનો જાણી જોઇને ઉલ્લેખ કરે અને કહે કે એ તો મારા ખાસ ઓળખીતા મિત્ર છે અને તમારી ક્યારેક મુલાકાત થાય તો મારું નામ લેવું. જયારે નામ લઈએ ત્યારે ભોઠા પડવાનો સમય આવે પણ આજ સુધી તે શિક્ષકને કોઈ વિદ્યાર્થીએ ભોઠા નથી પાડ્યા.  વગર માંગે મદદ આપવા તૈયાર થઇ જાય અને કહે કે મારું નામ લેજો તરત કામ થઇ જશે. અને વિદ્યાર્થીઓ તેમ કરે પણ ખરા કારણકે વિદ્યાર્થીઓ તો બદલાતા રહેવાના. અને ઘણીવાર કામ થવાના બદલે અટકી જાય તેવું પણ થાય.ખરેખર તો તેઓ પોતાનો પ્રભાર પાથરવા આમ કહેતા પણ વાસ્તવમાં તેઓ પોતાની આવી અલ્પતા સિદ્ધ કરી વિદ્યાર્થીઓની નજરમાં નીચા ઉતરતા હતા અને જાણીતી, માનીતી અને ચાહીતી વ્યક્તિઓ માટે કૌતુક બની જતા.  ખરેખર તો આ પ્રકારની માનસિકતા નિર્દોષ માણસનું કામ બગાડવા નિમિત્ત બની જાય છે. જેનાથી ચેતી જવું જોઈએ.

કોઈ ગમે તેટલો સધિયારો આપે પણ એમ કોઈના ભરોસે બેસી ન રહેવાય આપણે આપણા પ્રયાશો ચાલુ રાખવા જોઈએ.અભ્યાસમાં, કરિયરમાં, સમાજમાં અને જીવનના પ્રત્યેક તબક્કે. મદદ ન લેવી હોય તો પણ કોઈ જબરદસ્તીથી મદદ આપવા આવે ત્યારે ખરેખર તો મદદ કરવા આવનારને મદદની વધારે જરૂર હોય છે. તે પોતાનું સાજુ કરવા આવતા હોય છે. આવી મદદો જીભના લવારા સુધી જ સીમિત બની રહે છે. જેને કોઈની પણ મદદની જરૂર નથી તેને ત્યાજ મોટેભાગે મદદ કરનારાઓનો તાંતો લાગતો હોય છે. એવું પ્રથમ નજરે જણાય પણ અંદરખાને તેઓજ અન્યની મદદના મોહતાજ હોય છે. કોઈને જેલમાં જવાના ભણકારા સંભળાય અને તે તમને સધિયારો આપવા બોલાવે તેવું બને કારણકે તેને ખબર છે કે ક્યાંક ક્યારેક તમારી જરુરુ પડશે. તમારી ઘોર ઉપેક્ષા થઇ હોવા છતાં.

તમે અગમચેતીથી કોઈ જગ્યા છોડતા પહેલા નવા કામ માટે તમારા પ્રયત્નો શરુ કરો અને એ સમયે કોઈ એમ કહે કે ચિંતા ન કરશો હું છું ને, કહેનારાની ભાવના ગમે તેટલી સારી હોય તો પણ તેની પર ભરોસો મુકીને બેસી ન રહેવાય તમારે તમારા પ્રયાસો ચાલુ રાખવા પડે. નહિતર બધી બાજુથી લબડી જવાય તેવું બને. તમે મુશ્કેલીમાં ફસાયા હોવ, દ્વિઘામાં હોવ, કોઈ રસ્તો મળતો ન હોય, અટવાત હોવ, એવું લાગતું હોય કે બસ હવે પૂરું થયું અને જે તે વ્યક્તિને જે આના માટે જવાબદાર હોવ તેની પાસે સ્પષ્ટતા માંગો કે હવે શું કરવું? વાંધો તો નહિ આવે ને? ત્યારે સમા પક્ષેથી હકારાત્મક જવાબ મળે તો પણ બુદ્ધિનો ઉપયોગ કરી અને અંતરનો અવાજ સાંભળી નિર્ણય લેવો જોઈએ. 'ચિંતા નહિ હું બેઠો છું' એમ સાંભળી બેસી ન રહેવાય. મારા મતે ન બેસી રહેવું એ 'ઉત્તમ કર્મ' છે.

મદદ તો પરમ કૃપાળુ પરમાત્માની મળતી જ રહેતી હોય છે, જેની મરજી વગર કશું પણ શક્ય નથી. મુશ્કેલીના સમયમાં સાવ અજાણ્યો માણસ વહારે આવ્યો હોય તેવું પણ બને. પરમ કૃપાળુ પરમાત્માના બંદાને યાદ રાખીને ભવિષ્યમાં આપણે કોઈકની આ રીતે મદદ કરવા તત્પર રહેવું જોઈએ. ઠાલાં અને લુક્ખા વચનોથી કઈ સાબિત થતું નથી. ગમે તેટલી ક્ષમતા હોય તો પણ ક્યારેક જોઈએ તેવું પરિણામ ન મળે તેવું બને. ગાંડીવધારી અર્જુન સુદર્શનધારી શ્રી કૃષ્ણ વિના અધુરો છે, એ જ રીતે.

સમય સમય બળવાન હૈ નહિ મનુષ્ય મહાન, કાબે અર્જુન લૂંટ લિયો વહી ધનુષ્ય વહી બાણ 

આમ છતાં આ દુનિયામાં કોઈ સાથ આપે કે ન આપે, આપણે આપનું કામ પ્રભુને સાથે રાખીને કરતા રહેવું જોઈએ. ભગવાન પણ કહે છે કે જે અનન્ય ભાવે મને યાદ કરે છે તેના યોગ ક્ષેમનુ વાહન તેઓ વહન કરે છે. તેથી નિશ્ચિંત થઈને કર્મની સાથે સાથે આપણે આપણા કામના શ્રી ગણેશ કરી નાખવા જોઈએ.



1 ટિપ્પણી:

અજ્ઞાત કહ્યું...

very good.

કોઈ એમ કહે કે ચિંતા નહિ 'હું બેઠો છું' ત્યારે?

कोई चिंता नहीं करने के लिए कहते हैं कि मैं कर रहा हूँ 'इकट्ठा जब नहीं है?
No concern is not to say that I'm gather 'when?

Why not write a translatable title of article?
If Hindi writers can write proper title why can't Gujarati writers?

How will you make this article readable to Hindi viewers?

One may read here.
(4)અનુવાદ યોગ્ય ગુજરાતી..........
http://kenpatel.wordpress.com/